સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 7 April 2015

પરીક્ષાના ડરથી માત્ર ૮ વર્ષની માસુમ બાળકીની આત્મહત્યા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

પરીક્ષાના ડરથી માત્ર ૮ વર્ષની માસુમ બાળકીની આત્મહત્યા

- રાજકોટમાં ભણતરનાં ભાર

- માતા-પિતા ખેત મજૂરીએ ગયા બાદ ઘરમાં જ યુનિફોર્મ પહેરી અગ્નિસ્નાન કરી લીધું

- મમ્મી મને સ્કુલે નથી જવું પરીક્ષા પણ આપવી નથી તેમ સવારે માતાને કહ્યું હતું

રાજકોટ, મંગળવાર
શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી અને ધો.૩માં અભ્યાસ કરતી હિરલ મનુભાઇ ગળદીંયા નામની આઠ વર્ષની બાળકીએ આજે ઘરે અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી લેતા કોળી પટેલ પરિવારમાં અને પાડોશીઓમાં અરેરાટી મચી ગઇ હતી. હિરલે ભણતરનાં ભારથી અને પરીક્ષાના હાઉથી આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં માત્ર આઠ વર્ષની બાળકી આ રીતે સળગીને જીંદગી ટૂંકાવી લે તે બાબત જ પોલીસને આશ્ચર્ય પમાડી રહી છે અને ઘડી ભર તો વિશ્વાસ નહીં કરવા પ્રેરી રહી છે.
ભગવતીપરાની નંદનગર સોસાયટી શેરી નં. ૮માં રહેતાં મનુભાઇ કોળી પટેલને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. મોટો પુત્ર જયેશ ધો.૧૦માં, નાનો પુત્ર મહેશ ધો.૯માં અને ત્રીજા નંબરની પુત્રી પાયલ ધો.૭માં અભ્યાસ કરે છે. સૌથી નાની પુત્રી હિરલ ભગવતીપરામાં આવેલી શાળા નંબર ૬ માં ધો.૩માં અભ્યાસ કરતી હતી.
હિરલનાં તો બંને ભાઇઓ અને બહેનની પરીક્ષા પુરી થતાં આ ત્રણેય વેકેશન કરવા મામાને ત્યાં ફાળદંગ જતા રહ્યા હતા. હિરલની પરીક્ષા હજુ બાકી હોવાથી તે ત્યાં ગઇ ન હતી. આજે સવારે તેના માતા ભાવનાબેન ઉઠયા ત્યારે હિરલે કહ્યું કે મમ્મી મારે સ્કુલે ભણવા નથી જાઉં અને પરીક્ષા પણ આપવી નથી.

જેથી ભાવનાબેને કહ્યું કે બેટા તારી પરીક્ષા પુરી થાય પછી ભલે તું સ્કુલે ન જતી તેમ કહી નિત્ય ક્રમ મુજબ ભાવનાબેન અને તેનાં પતિ મનુભાઇ ખેતમજુરીએ જવા નિકળી ગયા હતા.
પાછળથી હિરલ સવારે ૧૦.૩૦ વાગ્યા સુધી શેરીમાં રમતી હતી. પછી સ્કુલનો સમય થઇ જતાં ઘરે જઇ યુનિફોર્મ પહેર્યા બાદ ગમે તે બન્યું તેણે ઘરમાં જ અગ્નિસ્નાન કરી લીધું હતું. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ તેનાં માતા ભાવનાબેન નિત્યક્રમ મુજબ પતિ માટે જમવાનું લેવા ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં હિરલ સળગેલી હાલતમાં મળતાં ચોંકી ઉઠયા હતા. તત્કાળ તેણે પતિ મનુભાઇને જાણ કરતાં તે ત્યાં દોડી આવ્યા  હતા.
પિતા આવી જતાં હિરલે તેની પાસે પાણી માંગતા તેને બે ચમચી પાણી પીવડાવીને તત્કાળ ૧૦૮માં સિવિલ લઇ ગયા હતા. જ્યાં ત્રણેક કલાકની સારવાર બાદ માસુમ હિરલે દમ તોડી દેતા પરીવારનાં સભ્યો આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા.
તે પહેલાં બનાવની જાણ થતાં બી ડિવિઝનનાં એએસઆઇ નટુભાઇ ચૌહાણ સિવિલે ગયા હતા ત્યારે હિરલની હાલત નાજુક હોવાથી તેની પૂછપરછ તો કરી શક્યા ન હતા. તેને માત્ર પોલીસે એટલું જ પૂછયું બેટા તને સ્કુલે જવું ગમતું ન હતું જેનો હિરલે નકારમાં જવાબ આપ્યો હતો.
પોલીસે બીજો પ્રશ્ન બેટા તને કોઇએ સળગાવી છે તેવો પુછતાં તેનો પણ હિરલે ઇનકાર કર્યો હતો. તેની માતા ભાવનાબેનનું નિવેદન પોલીસે લેતા તેના પરથી એવું તારણ નિકળ્યું હતું કે હિરલને સ્કુલે જવું ગમતું ન હતું વળી થોડા દિવસો પછી પરીક્ષા હોવાથી તેને તેનો ડર પણ લાગતો હતો. આ જ કારણથી તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment