સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 21 August 2015

નવસારીમાં અનાવિલ સમાજે પણ અનામત માટે રણશીંગુ ફુંક્યું

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

નવસારીમાં અનાવિલ સમાજે પણ અનામત માટે રણશીંગુ ફુંક્યું

તા.૨૪ ઓગષ્ટે જલાલપોરથી રેલી નીકળશએ ઃ તા.૨૨મીએ મીટીંગ મળશે

અનામત આપવા અથવા દુર કરવાની માંગ સાથે તા.૨૪ ઓગષ્ટે જલાલપોરથી રેલી નીકળશએ ઃ તા.૨૨મીએ મીટીંગ મળશે
નવસારી, શુક્રવાર
નવસારી જિલ્લામાં પાટીદારોનું અનામત આંદોલન વેગ પકડી રહ્યુ છે. ત્યાં નવસારી જિલ્લાના અનાવિલ સમાજ દ્વારા પણ અનામત માંગણી અંગેનું રણશીંગુ ફૂંકવામાં આવ્યુ છે. નવસારી જિલ્લા અનાવિલ સમાજ દ્વારા અનામત માટે આગામી તા.૨૪મી ઓગષ્ટ-૨૦૧૫ના રોજ રેલીનું એલાન આપવામાં આવ્યુ છે.
નવસારી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનનાં સમર્થનમાં આગામી તા.૨૪મી ઓગષ્ટના રોજ રેલીનું એલાન આપવામાં આવ્યુ હતું. રાજ્યભરમાં પાટીદાર સમાજના અનામત આંદોલન વેગપકડી રહ્યુ છે. ત્યારે આજે રોજ નવસારી જિલ્લા અનાવિલ સમાજ દ્વારા પણ અનામતની માંગણી માટે રણશીંગુ ફૂંકવામાં આવ્યુ છે અને આ સાથે અનામત આંદોલનનું એલાન પણ આપવામાં આવ્યુ છે. તે માટે નવસારી જિલ્લા અનાવિલ સમાજ દ્વારા આગામી તા.૨૪-૮-૧૫ના રોજ અનાવિલ સમાજ માટે અનામત આપવાની અથવા અનામત દુર કરવાની માંગણી સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. અનાવિલ સમાજની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રેલી જલાલપોર ગ્રામ પંચાયત કચેરીની સવારે ૮-૩૦ કલાકે નીકળી કલેકટર કચેરીએ જશે. વઘુમાં અનાવિલ સમાજને અનામતની માંગણી માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે આગામી તા.૨૨-૮-૧૫ના રોજ સાંજે ૭-૦૦ કલાકે ગણદેવી અનાવિલ વાડી ખાતે મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં અનાવિલ જ્ઞાાતિજનોને હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.

ગણદેવી અનાવિલ સમાજની બેઠકમાં ધ્યાન દોરાયું હતું
પાટીદાર અનામત આંદોલન આગની જવાળાની જેમ રાજ્યભરમાં ફેલાઇ રહ્યું છે ત્યારે તેના પ્રત્યાઘાતો સમાજની મિટીંગમાં આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધમડાછાના સામાજીક કાર્યકર અનિલ બી વશીએ સમાજની પ્રમુખને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, યુવાનો ૭૦ ટકાથી વધુ માર્કસ લાવતા હોવા છતા તેઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મળતો નથી. પરિણામે આર્થિક રીતે નબળા કુટુંબોએ પણ જેમ તેમ નાણાંકીય વ્યવસ્થા કરી લાખોના ડોનેશન આપી નોન ગ્રાન્ટેડ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો પડે છે. કેટલાક યુવાનો હોશિયાર હોવા છતા ડોનેશનના અભાવે અપેક્ષિત ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે. આવા સંજોગોમાં અનાવિલ સમાજ પણ શૈક્ષણિક ક્ષેત્રમાં અનાવિલ અનામત માટે વિચારણા કરે.
 


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment