સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 24 May 2015

નેપાળમાં ભૂસ્ખલનથી નદીમાં પૂર ઃ બિહાર ભયમાં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

નેપાળમાં ભૂસ્ખલનથી નદીમાં પૂર ઃ બિહાર ભયમાં

વરસાદ નહીં પણ ભૂકંપ બાદ તિરાડો પડતાં સર્જાયેલી ઘટના!

ગંડકી નદીનો પ્રવાહ અવરોધાતાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા

નેપાળના સાત જિલ્લામાં હાઇ એલર્ટ
બેંસારી ગામમાં ૨૫ મકાનો દટાયાં ઃ ભૂસ્ખલનથી નદીમાં એક જ રાતમાં ઊંડું સરોવર રચાયું
પૂરની ભીતિના પગલે બિહારના પાંચ જિલ્લામાં એલર્ટ

(પીટીઆઇ)    કાઠમાંડું,તા.૨૪
પશ્ચિમ નેપાળમાં તોતિંગ ભૂસ્ખલન થતા તેણે એક નદીના વહેણને અટકાવી દીધું છે. પરિણામે એ ભૂસ્ખલનથી સર્જાયેલા કૃત્રિમ ડેમની પાછળ એકત્ર થયેલા પાણીને કારણે હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. તેમ અધિકારીઓએ માહિતી આપી હતી. આ નદી ભારતમાં થઇને વહે છે.
આ અંગે ભારતની સરહદે આવેલા નવલપારસી જિલ્લાના જિલ્લા અધિકારી હરિપ્રસાદ મૈનાલીએ કહ્યું હતું કે અમે ભારતના લોકોને પણ આ મુદ્દે સતર્ક કરી દીધા છે. કેમકે આ ભૂસ્ખલનથી સર્જાયેલા ડેમમાં અત્યારે ચાર કિ.મી. લાંબે સુધી, ૨૦૦ મિટર ઊંચાઇ ધરાવતો પાણીનો જથ્થો એકત્ર થયો છે. આ ડેમ કોઇપણ ક્ષણે તૂટી શકે છે. આ નદી ભારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશમાં પસાર થાય છે. તેથી ભારતના ગંડક નદીના કિનારે વસતા લોકોને પણ સાવચેત કરી દેવાયા છે. હાલ આ ડેમમાં પંદર લાખ લીટર પાણી એકત્ર થયાની શક્યતા છે.
અધિકારીએ માહિતી આપી કે પાટનગર કાઠમાંડુથી ૧૪૦ કિ.મી. વાયવ્યમાં આવેલી કાલી ગંડકી નદીમાં ગતરાત્રીએ થયેલા ભૂસ્ખલનને કારણે નેપાળના માયગદી જિલ્લામાં કૃત્રિમ તળાવ સર્જાઇ ગયું છે.  તેનું જળસ્તર વધી રહ્યું છે. નેપાળ પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે આ કૃત્રિમ ડેમના પાણીની સપાટી ૧૫૦ મિટરે પહોંચી ગઇ છે. જોકે ભૂસ્ખલનથી કોઇ જાન-માલની હાનિ થઇ નથી. સત્તાવાળાઓએ આ વિસ્તારમાં સેનાને ગોઠવી દીધી છે.
બેની બઝારથી ૧૦ કિ.મી. આગળના વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કાલી ગંડકી નદીમાં સર્જાયેલા કૃત્રિમ ડેમને કારણે ગલેશ્વર બઝાર અને બેની બઝારના વિસ્તારોને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તે વિસ્તારના લોકોને પણ સાવચેત રહેવા જણાવાયું છે. મંત્રાલયે જાહેર કર્યું છે કે સિંગીયા, પર્બત, મ્યાંગદી, બાગલંગ, ગુલ્મી, પલ્પ, અને નવલ પર્સી જિલ્લાના લોકોને સાવચેત કરી દેવાયા છે. તેમણે ભૂસ્ખલન હેઠળ આવતા વિસ્તારના લોકોને પણ સચેત રહેવા જણાવાયું છે. સામાન્ય રીતે વરસાદથી ભૂસ્ખલન થતું હોય છે. પણ આ વખતે ભારે ભૂકંપથી પર્વતમાં પડેલી તિરાડોથી છુટા પડી ગયેલા પર્વતના ભાગો હવે પડી રહ્યા છે. જેમાં બેંસારી ગામના ૨૫ મકાનો દટાયા છે.
 


 

Source :- http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment